Skip to main content

સમયદ્રિપ ~ ભગવતી કુમાર શર્મા

   

                                 સમયદ્રિપ 
                         ~ ભગવતી કુમાર શર્મા 

I remembered the character, Awuchike from 'The Swamp Dwellers' while reading સમયદ્રિપ by Bhagwatikumar Sharma. Awuchike lost in city and never come back to home. Wole Soyinka very well depicts the crisis between tradition and modernity. સમયદ્રિપ also deals with the same aspect of two different way of living life. Nilkanth is thrown out from his house only because of his acceptance of new way of living lofe. People are cult in city. Pain and suffering is fully visible.Youth is tempted by city. Awuchike and Nilkanth both are victim. Modernism has bombarding effects on youth.

નવલિકાની શરૂઆત જ મુંબઈનગરીમાં  મહાશિવરાત્રીના પર્વને કેટલી વાર છે એ તિથિ ગણનાથી થાય છે. નીલકંઠ સમક્ષ તિથિની નાની સંખ્યા રાક્ષસી રૂપ ધારણ કરીને તમતમી રહી. "ફક્ત ત્રણ-ચાર દિવસ અને ફરી એકવાર મહાવશિવરાત્રી!"

મહાશિવરાત્રીની તિથિ જોતા જ નીલકંઠ સ્મરણોમાં સરી પડ્યો. સુરા ગામમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં વીતેલું બાળપણ, બીલીનું વૃક્ષ, એની નીચે પિતાજી સાથે કરેલા અનુષ્ઠાન, વાવ, શંકરના મંદિરમા કરેલી પૂજા અર્ચના વગેરે નીલકંઠની આંખો સમક્ષ એકાએક ઉપસી આવ્યું ને નીલકંઠ કોઈ દ્વિધામાં ગરકાવ થઈ જાય છે. 

મુંબઈમાં નીલકંઠ નીરા સાથે આધુનિક જીવનશૈલીથી જીવન પસાર લરી રહ્યા છે. નીરા સુરા ગામમાં  આઉટ સાઇડર છે, ગામામાં તો ઠીક પણ ઘરમાં પણ આઉટ સાઇડર ફીલ કરે છે કારણ અબ્રાહ્મણ હોવાથી તેની સાથે પણ અબ્રાહ્મણ જેવો જ વ્યવહાર કરવાનો ચુસ્ત નિયમ પાળતા નીલકંઠના પિતા, શિવશંકરે આદેશ આપેલો છે. નીલકંઠ દ્રવિ ઊઠે છે તેમછતાં તેઓનો વિરોધ કરવાની, તેમના મૂલ્યો નકારવાની તેનામાં હિંમત નથી. તે  શ્રદ્ધા અને અશ્રદ્ધા વચ્ચે ઝોલાં ખાય છે. એકબાજુ મદિરોમાં થતી પૂજા અર્ચના, અભિષેક, ભાવમાં તલ્લીન થઈ જતા ભક્તો તો બીજી બાજુ રાક્ષસી અટ્ટહાસ્ય કરતી મિલો  અને કારખાનાઓમાં ઓગળી જતી ઈચ્છાઓ.

ત્યાં જર્જરિત થયેલા ઘરમાંથી ખરતા પોપડા, પોતાના આચરણમાં ધર્મ સચવાયેલો છે એમ માનતા પિતાંબર પહેરીને મહાદેવની પૂજા કરતા બાપુજી, ગાંડા ભાઈની સેવા કરતા જયા ભાભી ને ગૌરી બા વર્ષો પછી પણ યથાવત છે. બધું જ કાળ સાથે જાણે સ્થગિત ન થઈ ગયું હોય! નીલકંઠ બાળપણથી જ આ મૂલ્યોનો વિરોધ કરતો અને એને લાગતું કે, 


"જડતાનું એક ચક્ર મારી આસપાસ દિવસ રાત ઘૂમે છે એમ મને લાગતું. ક્યારેક કશી દલીલ કરવા જતો તો બાપુ સુત્ર સંભળવતા, आचारो प्रथमो धर्म: - હું વાધરે કંઈ ના બોલતો પણ મનમાં સવાલો જાગતા કયો આચાર?" 


નીરાના અમુક વ્યવહારથી આખું ઘર સ્તબ્ધ બની જતું.
નીલકંઠ એક સમયની પ્રોડકટ છે, તેને પોતાના સ્વત્રંત વિચારો છે છતાં એના મનોમયકોષના મૂળ પરંપરાગત બ્રાહ્મણ સંસ્કારની દ્રઢ પરંપરામાં ઊગવા પામ્યા છે. ક્યારેક ગૌરીબા ના મુખેથી નીકળતા  શબ્દો નીલકંઠ મનમાં ઘૂંટાયા કરે છે. જેમ કે, 

'નહાશે નહીં તો વહુ ખાશે શું?'

'ઠાકોરજીના દીવાને ફૂંક મારીને ન ઓલવાય, એમ કરીએ તો પાપ લાગે'

'અજીઠો શ્વાસ ભગવાનના દીવાને ન અડકાવાય'

'હોટેલ માં ચા પિવાય?'

મુંબઈ આવ્યા પછી આવા કોઈ જ મૂલ્યો ને જુના વળગણોને કે કોઈ આચારને નીલકંઠે પાળવાના નહોતા. હવે મુંબઈમાં જમતી વખતે પેલું અબોટિયું પહેરવાનું નહોતું, રોટલી ભરેલા ડબ્બાને અડકી ગયેલો હાથ ધોવાનો નહોતો. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ફરજીયાત ભૂખ વેઠવાની નહોતી. સવાર-બપોર-સાંજ કલાકોના કલાકો સ્નાનસંધ્યા પાછળ ગાળવાના નહોતા. આ બધાને એ તરફથી મારુ મન આવકારી રહ્યું હતું, તો બીજી તરફ એ બધામાંથી મુક્ત થતાં નીલકંઠ ખચકાટ અનુભવતો હતો. શહેરમાં આવીને બૌદ્ધિક દ્રષ્ટિએ તેને આ બધા જ આચરણ અને મૂલ્યો વ્યર્થ લાગે છે. તેમછતાં તેના મનમાંથી સુરા ગામની વાવ, શંકરનું મંદિર, પિતાના મુખમાંથી બોલતા મઁત્રોચ્ચાર, શેરીમાં વિતાવેલાં બાળપણનું અભિસંધાન તૂટતું નથી.  

Both, Old amd new culture has their own merits and demerits.Culture itself diseased. City is large place, charm of ife is lost in city.

નીલકંઠને દેખાતી ક્ષિતિજો વિસ્તરતી જતી હતી. 
અગાઉ જે કદી જોઈ-જાણી નહોતી એવી ક્ષિતિજ એને દેખાવા માંડી. નીલકંઠ માનતો હતો કે, 


"હું આ પ્રવાહમાં સાવ સરળતાથી ભળી જઈશ. અને હું ભળી તો ગયો પણ એ સંક્રાંતિકાળ ધારવા જેટલો સરળ, સહજ નહોતો નીરા! જુના સંસ્કારો મારી કલ્પના કરતા વધારે પ્રબળ નીવડ્યા. છેક  આ ક્ષણ સુધી એનો પ્રભાવ છે. નવી ક્ષિતિજો તરફ મેં દોટ તો મૂકી, છેવટે એને સ્પર્શ પણ કર્યો, તોય રસ્તમાં કેટલી વાર ઠોકરો ખાધી અને એ સ્પર્શ ક્યારેક વીજળીના આચકા જેવો લાગ્યો."


Though it is complex phenomena 
Customs, traditions and cultural values are always social conventional aspects.
Nilkanth and Awuchike accept other ideas and lost their own cultural identity because of outsider forces. Modernity doesn't means to force an ethical value, culture and identity. Both has its own place & value to live life.

નીલકંઠ નવી જીવન શૈલી અપનાવી શક્યો તેમછતાં એના જુના સંસ્કારોની છાપ એના મન પરથી સાવ ભૂંસી શકાઈ નહીં.  વિતી ગયેલા સમય અને મૂલ્યો સાથે વળગી શકાતું નથી તો આધુનિક સમયના બધાં જ મૂલ્યોનો સ્વીકાર થઈ શકતો નથી. આ બન્ને વચ્ચેની મથામણમાં, મુંઝવણમાં ભીતર કશુંક રૂંધાય ચૂક્યું છે  એની જાણ નીલકંઠને બહુ મોડી થાય છે. 

અબ્રાહ્મણ નીરાએ માસિક ધર્મ ન પાળીને રૂઢિચુસ્ત બ્રાહ્મણ શિવશંકરના ઘરની રસોઈ અભડાવી ત્યારે પણ નીરાના અપમાન બદલ નીરાએ વિદ્રોહ કર્યો ત્યારે નીલકંઠેે નીરાને કહ્યું,


"એક રીતે તો તારા વર્તનથી મને  સંતોષ થવો જોઈએ. પણ કોણ જાણે કેમ આ લોકોને અકારણ આઘાત આપતા હું ખચકાઉં છું. શા માટે એમની શ્રદ્ધાઓ પર આપણે પ્રહાર કરવો?"


નીરા એ સ્વત્રંત વિચાર ધરાવતી સ્ત્રી છે. નીરા માટે રૂઢિગત પરિવારમાં સમાધાન કરવું અશક્ય છે કારણ નીરાનું પાત્ર એ બધાથી તદ્દન વિરુદ્ધ વિચારો વાળા પ્રદેશમાં નિર્માણ પામ્યું છે. નીરાઆધુનિક યુગની સ્ત્રી છે. નીરા, નીલકંઠ અને નીલકંઠના પિતા, આ ત્રણેયના વર્તુળના આયામ અલગ છે. નીરા સાથે અસ્પૃશતાનો વ્યવહાર નીલકંઠના બૌદ્ધિક સ્તરોથી બરોબર નથી તેમછતાં નીલકંઠ એ મૂલ્યો સામે વિદ્રોહ કરી શકતો નથી.

નીલકંઠ સતત એક ખડકના બોજ નીચે દબાતો જાય છે અને ધીરે ધીરે તેની સંવેદના શૂન્ય થતી જાય છે. 
નીરા નીલકંઠને પૂછે,


"તું આ લોકોની જીવનપદ્ધતિ સાથે સહમત છે? તને જીવનની આ સાંકડી ક્ષિતિજો માન્ય છે? તું તો મૂર્ખ છે નીલ! આજે આપણી માટે તો આપણી અશ્રધ્ધા એ જ શ્રદ્ધા બની ગઈ છે, અને એ કાંઈ  કૃત્રિમ નથી આપણાં conviction નું, આપણાં અનુભવોનું એને બળ મળ્યું છે." 


જુના પુરાણા વિચારોની હારમાળામાંથી નીકળવા પ્રયત્ન કરતો છતાં પણ કુટુંબની શ્રદ્ધાને પોષતો નીલકંઠ. મુંબઈની ખુલી હવામાં શ્વાસ લેવા મથતો પણ લઈ ના શકતો નીલકંઠ જવાબ આપે છે, 


"એ એમના સંસ્કાર છે. Conviction તો આ લોકોના ક્યાં ઓછા સબળ છે. એને હઠાવી દેવાની આપણે એમને શી રીતે ફરજ પાડી શકીએ? પણ એ જ સંસ્કારો એ આપણા પર  શા માટે લાદે? થોડાક દિવસ માટે. એ તો ચોખ્ખો દંભ થયો. મનને ન ગમતું હોય છતાં કરવું એ હિપોક્રસી છે. I am not for hipocracy"


જોર શોરથી ઉજવાતા ધાર્મિક તહેવારો, મહાશિવરાત્રીનું પર્વ, વૈદિક મંત્રોચ્ચારથી ગુંજતું શિવાલય અને બ્રાહ્મણ કુટુંબની ચુસ્તતા અને આચરણ વચ્ચે થયેલો નીલકંઠનો ઉછેર એના મનને સતત મહાનગર અને ગ્રામ્ય જીવન શૈલી વચ્ચે સરખામણી કરવા માટે અનાયાશે દોરી જાય છે. ને નીલકંઠ અનુભવે છે,


"મુંબઈ જેવા મહાનગરોમાં પેટ ભરવા માટે કુતરા જેવી જિંદગી ગુજારતા માણસો, એની બેશરમીઓ, એમની 

નિર્મમતા અને ઇન્સાનિયત એ બધું જ જોયું ને અનુભવ્યું. ભૌતિક, દભી જીવન માટેની ઘેલછાઓ, કૃત્રિમતાઓ અને ધ્યેય માટેની સાધનાનું અસ્તિત્વ જોવા મળ્યા અને મારું મન સતત જે દુનિયાને હું છોડીને આવ્યો હતો એ દુનિયા સાથે આ નવા જગતની સરખામણી કરતું રહ્યું. એ પ્રકિયા હજીયે મારા મનમાં ચાલે છે." 

બીજી બાજુ માણસોને થીજવી મૂકે એવી જડતાઓ છે, હાસ્યાસ્પદ ઘેલછાઓ પર ખરી, તો કેટલીક સચ્ચાઈઓ છે.  "મારા બાપુનું જીવન મારી નજર સમક્ષ ઘણીવાર તરવરી ઉઠે છે. નિઃસ્વાર્થ ભાવે આખું જીવન મંદિર પાછળ ઘસી નાખવામાં પણ કશોક અર્થ તો સરતો  હશે ને!"  Though Futility & meaninglessness of life remain, this meaninglessness has some meaning in life. 

ધાર્મિક રીત રિવાજોની અસર નીલકંઠ પર બહોળા પ્રમાણમાં જોવા મળે છે. લાગણીશીલ અને સ્મરણોમાં ઝૂલતો નીલકંઠ નવલિકા અંતે જયારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર સાંભળે છે ત્યારે વિચારશૂન્ય બની ભાવવિહીન ઊભો રહે છે કારણ સમય ઘાવ આપીને બર્ફની જેમ થીજી જાય છે. 

નવલિકામાં જે બાહ્ય અને આંતર પરિમાણો સમાંતરે ગતિ કરતા રહે તો પણ સમય સાથે અલગ અલગ રીતે આપણી સમક્ષ ઉપસતાં રહે છે. સમયના, સંબંધોના તાણાવાણામાં ગુંચવાયેલ નીલકંઠ પોતાના અસ્તિત્વ માટે પણ લડતો દેખાય છે. તે કહે છે, 


"મને મારા અસ્તિત્વના મૂળભૂત સવાલો છે.  હું મારી identity, મારો ભૂતકાળ, મારો વર્તમાન, મારુ ભવિષ્ય- હું ભૌતિક અર્થમાં સમયના પરિણામનો ઉલ્લેખ નથી કરતો - એ બધુંય મને વીંટળાઈ વળે છે. ક્યારેક મને લાગે છે કે હું એકસાથે સમયના અનેક ખંડોમાં જીવું છું, એક ઉત્ક્રાંતિકાળથી ચાલ્યા આવતા માનવીય અસ્તિત્વના તંતુનો અંશ હું સંઘરી બેઠો છું."


Awuchike lost in city because of his own struggle to set in modernity  and Nilkanth suffers a lot and has crisis of his own existence and identity.  People don't accept the change easily, One has to become Matyre to bring changes. Growth of individual under goes into more suffering. 

વર્તમાનમાં પણ હંમેશા માણસ પાસે પણ ભુતકાળનો ભાર ને ભવિષ્યની ઈચ્છાઓ હોય છે. ભુતકાળ એ બેડી છે કે ફુલની માળા! તેમછતાં ભુતકાળને વાગોળવાનું માણસ સ્વભાવનો એક અંશ રહ્યો છે. આપણે બધા જ ઝાંઝવા પાછળ દોટ મૂકી છે. 'મોહરાઓ લગાડીને કેમ જીવી શકાય?' દંભને પોષવામાં ભીતર કશુંક શોષાય ગયું છે એનું ધ્યાન જ રહ્યું નથી. 

નીલકંઠ સંસ્કૃતિ, ધર્મ, રીત-રિવાજ ને બીજી તરફ વિજ્ઞાનની વચ્ચે ક્યાંક અટકી ગયાની લાગણીથી પીડાય છે. What kind of angma remains there? 


"હું બે અંતિમો વચ્ચે વહેંચાઈ ગયો છું નીરા! એક તરફ શ્રદ્ધાનું આકાશ, બીજી તરફ અશ્રદ્ધાનું પાતાળ!"

આપણે disintegrationની લાગણીથી અથવા કશીયે લાગણીના અભાવથી પીડાઈએ છીએ. સંસ્કારમૂલ્યના સંઘર્ષોના ખડક સાથે અથડાઈને નીલકંઠ અને નીરાનો સંયોગ તૂટી ગયો. 

Comments

Post a Comment

Popular posts from this blog

Analysis of the Gazal- Chandi jaisa rang hai tera

Chandi jaisa rang hai tera - Lyrics  Chandi jaisa rang hai tera, sone jaise baal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Chandi jaisa rang hai tera, sone jaise baal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal........ Jis reste se tu gujre, voh phoolon se bhar jaye Jis reste se tu gujre, voh phoolon se bhar jaye Tere pair ki komal aahat sote bhaag jagaye Jo patthar choo le gori tu voh heera ban jaye Tu jisko mil jaye voh, tu jisko mil jayeVo ho jaye malamal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Chandi jaisa rang hai tera sone jaise baal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal....... Jo be-rang ho us par kya kya rang jamate log Jo be-rang ho us par kya kya rang jamate log Tu naadaan na jane kaise roop churate log Nazaren bhar bhar dekhen tujhko aate jaate log Chail chabeeli rani thoda, Chail chabeeli rani thoda ghoonghat aur nikaal Ek tuhi dhanvaan hai gori, baaki sub kangaal Chandi jaisa rang hai t

અખેપાતર

અનુભવોનું અકળ પાત્ર - અખેપાતર Bindu Bhatt is well known Gujarati writer. 'Akhepatar' (1999) have awarded the 'Sahitya Akademi Award' for the 2003. Novel has the  female  protagonist Kanchanba.  આમ તો આખીયે વાત કાંચનબા ના જીવન ની જ છે ને તેમ છતાંય એમાં ઘણું છે જે એક સ્ત્રી ને જ નહીં આખાય માનવજગત ને લાગું પડે છે.  Chandrakant Topiwala said that...... "સામાજીક ચેતનાની આધારભુત ભારત ના ભગલાંના વિષયની છે ને તેમછતા ભારતના વિભાજન કરતા એ વિભાજન ને કારણે પાત્રોની બદલાતી આવતી નિયતિ નિરૂપનનો વિષય છે."  કંચનબા ની પીડા,દુઃખો ને વેદના ને   ભુતકાળ માંથી એ વર્તમાન ને  નવો અર્થ આપે છે. This is story of journey not only from Outside but the most necessary from the 'inside' also. નવલકથા માં કંચન થી લઇને કાંચનબા સુધી ની સફર છે. After the partion of IIndia & Pakistan, People are suffering from agony. They  hate their own disgustful life. Many people lost their family members and family is broken down. And Kanchnba is one of them. Kan

Book review on ' Gandhi Ni Kawad ' by Harindra Dave.

Gandhi  Ni Kawad                             - Harindra Dave             One of the most famous Gujarati writer - Harindra Dave writes so many novels, Plays, essays and poetry also. " Gandhi Ni Kawad" is  written by Harindra Dave. "This novel is X- Ray image of our society."             Title of the novel is very symbolic. Through the reading readers can't understand the meaning of the title but at the end it is really very symbolically represented the core of the novel.             In this novel we find satire on politics and system. We can say that novel has the plot of politics. Though it has some furious senses, it remains pathetic till the end. The protagonist Karunashakar himself becomes the victim of the system who is against of this system. Karunashankar is used by politicians as manageable commodity.  and he becomes scapegoat of them. And , at the end he has no  way to escape from the situation in which he himself ca